Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી લિકર પોલિસી: મનિષ સિસોદિયાને ફરી ફટકો

દિલ્હી લિકર પોલિસી: મનિષ સિસોદિયાને ફરી ફટકો

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનિષ સિસોદિયા સુધી તમામ નેતાઓ પર ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી વધારવામાં આવી હતી તો આજે કોર્ટે મનિષ સિસોદિયાની કસ્ટડી પણ 7 મે સુધી લંબાવી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં આરોપો ઘડવાની માંગણી કરતી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આ કેસમાં મનિષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.

ઉલ્લેખનિય છે કે આરોપીના વકીલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશને કહ્યું કે અમારે કોર્ટ રૂમમાંથી બહાર જવું જોઈતું ન હતું. આ માટે અમે માફી પણ માંગીએ છીએ. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશે કહ્યું કે અમે આ પ્રકારનું વર્તન પહેલીવાર જોયું છે. તમારી દલીલો પૂરી થતાં જ તમે કોર્ટમાંથી બહાર નીકળી ગયા. આ દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે હજુ તપાસ ચાલુ છે. જ્યારે CBIએ આ દલીલનો વિરોધ કર્યો હતો.

ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે

અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે. પરંતુ હજુ સુધી કેસની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 164નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular