Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી ચૂંટણીઃ કેજરીવાલે આપી વધુ સાત નવી ગેરન્ટી

દિલ્હી ચૂંટણીઃ કેજરીવાલે આપી વધુ સાત નવી ગેરન્ટી

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે વધુ સાત ગેરન્ટી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક સરકારી નિવાસસ્થાનોમાં અદિકારીઓ, સાંસદો કે મંત્રીઓના ઘરમાં કામ કરતા સર્વન્ટ કે કર્મચારીઓને અનેક સમસ્યાઓ હોય છે.

તેમને સર્વન્ટ ક્વાર્ટરમાં તેમને પગાર મળવો જોઈએ, કેમ કે 70-80 ટકા પગાર નથી આપવામાં આવ તો અને તેમને કહેવામાં આવે છે કે સર્વન્ટ ક્વાર્ટર આપ્યું તો ખરું-મફતમાં કામ કરો. આવામાં તેમને બંધુઆ મજૂરની જેમ કામ કરવું પડે છે. કેજરીવાલે આવા કર્મચારીઓ માટે સાત ગેરન્ટી આપી છે.

શું છે આ સાત ગેરન્ટી?

  • સર્વન્ટ રજિસ્ટ્રેશન પોર્ટલ બનાવવામાં આવશે, જેમાં આવા લોકો રજિસ્ટ્રેશન કરી શકશે. આમાં બંને પક્ષે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
  • શ્રમિક કાર્ડની જેમ પર્સનલ કાર્ડ બનાવવામાં આવશે. આ યોજના હેઠળ તેમને લાભ આપવામાં આવશે.
  • સર્વન્ટ કે સ્ટાફ હોસ્ટલ બનાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિને કાઢી મૂકવામાં આવળે તો તેઓ આગામી નોકરી સુધી તે ત્યાં રહી શકશે.
  • EWSના મકાનો સસ્તા દરે આપવામાં આવે છે, જે તેમને આપવામાં આવશે
  • તેમના આરોગ્ય માટે મોબાઇલ મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે
  • તેમના કામના કલાકો, કામની સ્થિતિ, તેમના વેતન માટે નિયમ, કાયદો બનાવવામાં આવશે.
  • ઓટોચાલકો, ઈ-રિક્ષા અને ટેક્સી ડ્રાઇવર્સનેને વીમા સુવિધા દિલ્હી સરકાર આપી રહી છે, જેમાં 10-10 લાખનો જીવન વીમો, રૂ, પાંચ લાખનો આરોગ્ય વીમો વગેરે આપવામાં આવશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular