Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalમનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ

મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ

દિલ્હી: કથિત દારૂ કૌભાંડ કેસના આરોપી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યાં કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક હિરાસત 18મી એપ્રિલ સુધી લંબાવી છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા મનીષ સિસોદિયાને શનિવારે પણ કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે પરંતુ કેસની સુનાવણીમાં આવવું જરૂરી છે. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી હતી. અગાઉ મનીષ સિસોદિયાએ તિહાર જેલમાંથી તેમના મતવિસ્તારના લોકોને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે સ્વતંત્રતા સેનાનીઓ પર અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર સાથે તેમની સ્થિતિની તુલના કરી હતી અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જલ્દી બહાર મળીશું.અંગ્રેજ શાસકોને પણ સત્તાનો ઘમંડ હતો અને લોકોને ખોટા કેસમાં જેલમાં મોકલ્યા હતા. તેમણે પૂર્વ દિલ્હીમાં પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલા તેમના પ્રેરણાસ્ત્રોત છે, જેમણે ઘણા વર્ષો જેલમાં વિતાવ્યા હતા. AAP નેતા સિસોદિયાના જામીનની સુનાવણી શનિવારે દિલ્હીની એક કોર્ટમાં ચાલી રહી છે. મત વિસ્તારના લોકો પ્રત્યે તેમનો પ્રેમ વધ્યો છે અને તેઓ તેમની તાકાત છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular