Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalકોર્ટે CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી

કોર્ટે CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી

દિલ્હીની કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સીએમ કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો વધાર્યો હતો. 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ સંબંધિત ED કેસમાં સીએમ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ સીબીઆઈ કેસમાં તેમને હજુ સુધી રાહત મળી નથી, તેથી તેઓ જેલમાં છે.

ED બાદ CBIની ધરપકડ

આ પહેલા EDએ 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈએ 26 જૂને સીએમ કેજરીવાલની કોર્ટમાંથી ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ જામીન આપ્યા હતા

દિલ્હીની નીચલી અદાલતે એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલને 20 જૂને જામીન આપ્યા હતા. પરંતુ દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ પછી 12 જુલાઈના રોજ સીએમ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular