Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં કોરોનાનો કહેર, આજે ફરી 600 થી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોનાનો કહેર, આજે ફરી 600 થી વધુ કેસ નોંધાયા

દેશભરમાં કોરોના વાયરસના ચેપના 628 નવા કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગના કેસો કોવિડ-19ના સબ-વેરિયન્ટ J.1ના છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 628 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. સોમવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં કેરળમાં એક નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 5,33,334 (5.33 લાખ) થયો છે. દેશમાં હાલમાં કોવિડ કેસની સંખ્યા 4,50,09,248 (4.50 કરોડ) છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,71,860 (4.44 કરોડ) થઈ ગઈ છે, જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. કેસમાં મૃત્યુદર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular