Friday, July 18, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો

રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો

ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ચાંદીપુરાના કેસમાં મોતનો આંકડો પણ વધ્યો છે. તથા 68 દર્દીઓ સાજા થઇ હોસ્પિટલમાંથી ઘરે ગયા છે. ત્યારે રાજ્યમાં ચાંદીપુરાના કુલ 153 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ છે. તથા રાજ્યમાં શંકાસ્પદ કેસ પૈકી 57 કેસ હાલ પોઝિટિવ છે.

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને હવે 66 થઈ ગયો છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે જીવ ખોયો છે. સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હતું. આ બાળકની રાજકોટની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. જેમાં રાજ્યમાં ચાંદીપુરાના કુલ 153 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તેમજ સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ છે. શંકાસ્પદ કેસ પૈકી 57 કેસ હાલ પોઝિટિવ છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 66 મોત થયા છે. હોસ્પિટલમાં 19 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તથા રાજ્યમાં અત્યાર સુધી 68 દર્દીઓ સાજા થયા છે.

ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી જોખમી હોય છે. જેમાં સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થઇ જાય છે.સેન્ડ ફ્લાય માખી નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે. સેન્ડ ફ્લાય માખી ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહેઠાણ બનાવે છે. સેન્ડ ફ્લાય માખી દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને આ રોગ થવાનું જોખમ રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular