Saturday, June 7, 2025
Google search engine
HomeNewsMumbaiકોંગ્રેસને ખટકી ઉદ્યોગપતિ અદાણીની સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક

કોંગ્રેસને ખટકી ઉદ્યોગપતિ અદાણીની સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક

મુંબઈ: ઉદ્યોગપતિ અદાણીની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે અદાણીની તુલના અલ્લુ અર્જુનના ફિલ્મી પાત્ર પુષ્પા સાથે કરી હતી. સરખામણી કરતાં તેમણે કહ્યું કે,”અદાણી ભારતના પુષ્પા છે, તે સરકાર બનાવે છે અને જો કોઈ એવી વ્યક્તિ છે જે સરકારને ઉથલાવી શકે છે, તો તે અદાણી છે’. નોંધનીય છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી.

આ પાત્ર સાથે સરખામણી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે સીએમ ફડણવીસ અને અદાણી પર પ્રહાર કરતા કહ્યું કે,”અદાણી એ ભારતના પુષ્પા છે, તે સરકાર બનાવે છે. જો કોઈ પાસે સરકારને ઉથલાવી દેવાની ક્ષમતા હોય તો તે અદાણી છે, કારણ કે તેમની ઈચ્છા વિના કોઈ સરકાની સત્તા નથી ચાલી શકતી.”

ઈન્ડિયા ગઠબંધનના નેતા બદલવા અંગે તેમણે કહ્યું કે જે India ગઠબંધન બન્યું છે, તે 25-26 પક્ષોના સંયુક્ત પ્રયાસથી રચાયું છે, જો 25-26 પક્ષો સાથે મળીને નવો નેતા પસંદ કરવાની વાત કરે તો તે થવું જોઈએ, આ લોકશાહી છે, નેતા બદલવાની જરૂર નથી કે જો તેમની બેઠકમાં સર્વસંમતિ હોય તો તેને રોકવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, આ નવી વાત નથી.

નિતેશ રાણેના નિવેદન પર આ વાત કહી
નીતિશ રાણેના નિવેદન પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે લોકો બંધારણમાં નથી માનતા તેમના માટે શું માન્ય છે, સરકારની યોજના દરેક માટે સમાન છે, પછી તે રાજ્ય હોય કે દેશ, તેને ધર્મના આધારે વિચારવાની જરૂર નથી. તેમની પાસે જ્ઞાન છે કે અજ્ઞાન છે તે કહી શકતા નથી. તેની શક્તિ આવી છે. મારી તેમને સલાહ છે કે તેઓ એવી રીતે વાત ન કરે કે તેનાથી બે ધર્મો વચ્ચે નવો વિવાદ ઊભો થાય.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular