Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratCM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભમેળામાં પવિત્ર સ્નાન કરશે

CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભમેળામાં પવિત્ર સ્નાન કરશે

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ કુંભમેળામાં કરોડો લોકો પ્રવિત્ર સ્નાન કરવામાં પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પવિત્ર સ્નાનનો લાભ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular