Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratલોહ પુરુષની જન્મ જયંતીએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષએ પુષ્પાંજલિ અર્પણ કરી 

લોહ પુરુષની જન્મ જયંતીએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષએ પુષ્પાંજલિ અર્પણ કરી 

ગાંધીનગર: લોહ પુરુષ અને અખંડ ભારત ના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાન સભા પોડિયમમાં સરદાર પટેલના તૈલ ચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ  ચેતન પંડયા, નાયબ સચિવઓ, અધિકારીઓ-કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular