Wednesday, September 3, 2025
Google search engine
HomeNewsNationalજમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બપોરે થયેલા આ અથડામણમાં બે જવાનોના ઘાયલ થવાના પણ સમાચાર છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ગાઢ જંગલની અંદર આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન ચાલુ છે.


અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરને લઈને સેનાએ નિવેદન જાહેર કર્યું છે. સેનાએ કહ્યું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા શનિવારે સામાન્ય વિસ્તાર કોકરનાગ, અનંતનાગમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બે સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા અને તેમને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.

કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલુ છે

મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે સમાચાર આવ્યા હતા કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના અહલાન ગડોલેમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular