Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratચૈત્રી નવરાત્રિની હવન સાથે પૂર્ણાહુતિ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ચૈત્રી નવરાત્રિની હવન સાથે પૂર્ણાહુતિ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

અમદાવાદ: ચૈત્ર સુદ નોમને આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ છે. હિંદુ સંસ્કૃતિમાં શક્તિની ઉપાસના સાથે વ્રત, અનુષ્ઠાન, હવન અને ભક્તિનું અનેરું મહત્વ છે. નવરાત્રિના આઠમ અને નોમના દિવસે વિવિધ મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં આઠમના દિવસે રાત્રે બાર વાગ્યે હવન કરવામાં આવ્યો. વહેલી સવારે શ્રીફળ હોમવામાં આવ્યું. મંગળા આરતી બાદ રામનવમીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.પ્રસાદમાં ભક્તોને લીમડાનો રસ આપવામાં આવ્યો હતો.400 વર્ષ જૂના શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં નવચંડી હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરના માધુપુરા માર્કેટમાં બિરાજમાન અંબાજી મંદિરમાં નોમના દિવસે વહેલી સવારથી જ યજ્ઞની શરૂઆત થઈ.શહેરના બહુચરાજી મંદિર, મહાકાળી મંદિર, વૈષ્ણોદેવી, અર્બુદાધામ જેવા અનેક મંદિરોમાં નવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular