Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratકેન્દ્રીય ગૃહ મંત્રીએ કરી મંગળા આરતી, CMએ પહિંદ વિધિ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કરી મંગળા આરતી, CMએ પહિંદ વિધિ કરી

અમદાવાદ: શહેરની રથયાત્રા એ ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચી ગયા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી ત્યારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. ભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે આવી ગઈ છે. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે. ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળી ગયા છે. રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાયા છે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ થઈ રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular