Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalકેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે કેન્દ્ર સરકાર, ભાજપઃ આપ પાર્ટી

કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે કેન્દ્ર સરકાર, ભાજપઃ આપ પાર્ટી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ ભાજપની કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની હત્યા રચવાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. આપ પાર્ટીએ ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે કે પંજાબ પોલીસ દ્વારા તેમને આપવામાં આવેલી સુરક્ષા જે પાછી ખેંચવામાં આવી છે, એને મંજૂરી આપવામાં આવે. આ આરોપના જવાબમાં ભાજપ કે દિલ્હી પોલીસ તરફથી કોઈ તત્કાળ પ્રતિક્રિયા નથી આવી.

 દિલ્હીના CM આતિશી અને પંજાબના CM ભગવંત માને સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં કહ્યું હતું કે તેમણે પત્ર લખીને કેજરીવાલને પંજાબ પોલીસ દ્વારા આપવામાં આવેલી સુરક્ષાને મંજૂરી આપવાની અને જીવલેણ હુમલાની તપાસ કરવાની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રને આધીન પોલીસે ગૃહ મંત્રી અમિત શાહના આદેશ અનુસાર કેજરીવાલ પર કથિત હુમલા પર આંખ આડા કાન કર્યા છે.

CM આતિશીએ આરોપ લગાવતાં કહ્યું હતું કે કેજરીવાલની હત્યાના કાવતરામાં બે લોકો સામેલ છે, જેમાં ભાજપ અને દિલ્હી પોલીસનો સમાવેશ થાય છે.બીજી બાજુ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર, અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર AAP કાર્યકરોને હેરાન કરવા માટે પોલીસનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular