Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalCBIએ લેન્ડ ફોર જોબ કેસમાં તેજસ્વી યાદવ સામે ચાર્જશીટ દાખલ કરી

CBIએ લેન્ડ ફોર જોબ કેસમાં તેજસ્વી યાદવ સામે ચાર્જશીટ દાખલ કરી

નોકરી કૌભાંડના મામલામાં બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવના પરિવારની મુશ્કેલીઓ વધી રહી છે. હવે CBI એ  દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને કંપનીઓ સહિત અન્ય કેટલાક લોકોના નામ આરોપી તરીકે છે. રાઉઝ એવન્યુ કોર્ટ હવે 12 જુલાઈએ સુનાવણી કરશે. સીબીઆઈએ નોકરી માટે જમીન કૌભાંડ સાથે સંબંધિત કેસમાં પૂર્વ કેન્દ્રીય રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને અન્ય ઘણા લોકો સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

 

CBIએ કોર્ટમાં શું કહ્યું?

સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવા છતાં કેસમાં નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે કારણ કે કથિત કેસ અલગ મોડસ ઓપરેન્ડી સાથે કરવામાં આવ્યો છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે લાલુ અને અન્ય ત્રણ વિરુદ્ધ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

લેન્ડ ફોર જોબ કેસ શું છે ?

આ મામલો લાલુ પ્રસાદ યાદવના પરિવારને ભેટમાં જમીન આપવા અથવા જમીન વેચવાના બદલામાં રેલવેમાં કથિત રીતે લોકોને નોકરી આપવાનો છે. આ મામલો 2004 થી 2009નો છે જ્યારે લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા. સીબીઆઈનો આરોપ છે કે જે જમીનો લેવામાં આવી હતી તે રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતીના નામે પણ લેવામાં આવી હતી.

સીબીઆઈએ પૂછપરછ કરી હતી

સીબીઆઈએ આ મામલે ગત માર્ચ મહિનામાં લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીની કલાકો સુધી પૂછપરછ કરી હતી. જે બાદ આરજેડીએ કેન્દ્ર પર જોરદાર પ્રહારો કર્યા અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular