Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentઆ ફિલ્મ નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ, અભિનેત્રીને હેરાન કરવાનો આરોપ

આ ફિલ્મ નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ, અભિનેત્રીને હેરાન કરવાનો આરોપ

પ્રખ્યાત મલયાલમ ફિલ્મ નિર્માતા સનલ કુમાર શશિધરન પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અગ્રણી અભિનેત્રીને કથિત રીતે હેરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના સંબંધિત ફિલ્મ નિર્માતા વુરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

મલયાલમ ફિલ્મ નિર્માતા સનલ કુમાર શશિધરન પર એક અભિનેત્રીએ હેરાન કરવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આજે એટલે કે મંગળવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે,અહીંના એલામક્કારા પોલીસે ‘કાયામ’ ફિલ્મના દિગ્દર્શક વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ પીછો કરવા, ગુનાહિત ધાકધમકી અને માનહાનિના આરોપસર કેસ નોંધ્યો છે.

અભિનેત્રીની ફરિયાદ પર નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ
પોલીસે જણાવ્યું કે, અભિનેત્રીએ સોમવારે ફરિયાદ નોંધાવી હતી અને મલયાલમ ફિલ્મ નિર્માતા સનલ કુમાર શશિધરન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તાજેતરમાં એક ફેસબુક પોસ્ટમાં, દિગ્દર્શકે દાવો કર્યો હતો કે અભિનેત્રી અને તેની પુત્રીના જીવ જોખમમાં છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે સોમવારે પોતાના ફેસબુક પેજ પર આ કેસમાં નોંધાયેલી FIRની નકલ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીના નામે કોઈ બીજાએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સનલ કુમાર શશિધરનની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે

મે 2022 માં, સનલ કુમાર શશિધરનની તે જ અભિનેત્રી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બ્લેકમેલ કરવા અને તેની પ્રતિષ્ઠાને ખરાબ કરવાના આરોપસર ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular