Saturday, June 7, 2025
Google search engine
HomeNewsGujaratકેબીનેટ મંત્રી બાવળિયા અને ભાનુબહેન બાબરિયાનો અંગદાનનો સંકલ્પ

કેબીનેટ મંત્રી બાવળિયા અને ભાનુબહેન બાબરિયાનો અંગદાનનો સંકલ્પ

રાજકોટ: ગુજરાતના બે કેબિનેટ મંત્રીએ સામાજિક સંવેદના સાથે અંગદાનનો સંકલ્પ જાહેર કર્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયા દ્વારા અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો છે. જે સમાજને નિઃસ્વાર્થ સેવા, કરુણા અને જીવનદાનની પ્રેરણા આપે છે. રાજકોટ ખાતે આ બંને મંત્રીઓ એ સંકલ્પ કર્યો તે પ્રસંગે ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન – રાજકોટના ટ્રસ્ટીઓ મિત્તલ ખેતાણી અને ભાવનાબેન મંડલી ઉપસ્થિત રહ્યા હતા.અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાથી અન્ય મનુષ્યોને નવજીવન આપી શકાય છે. શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે નિસ્બત નથી. કોઇ ભેદભાવ નથી.  બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે મૃતકની અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી.

રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય અનેક સંસ્થાઓ આ દિશામાં ખુબ જ સારું કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં આ ટ્રસ્ટ દ્વારા 125 જેટલા અંગદાન થઈ શક્યા છે. જેમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓ ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ડો. તેજસ કરમટા સહિતની ટીમ અન્ય સરકારી સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓનો મોટો ફાળો રહ્યો છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular