Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsBusinessવોટ્સએપે 72 લાખથી વધુ ભારતીય ખાતાં બંધ કર્યાં

વોટ્સએપે 72 લાખથી વધુ ભારતીય ખાતાં બંધ કર્યાં

ન્યુ યોર્કઃ વિશ્વમાં વોટ્સએપના લાખો-કરોડો યુઝર્સ છે. વોટ્સએપમાં ફીચર્સ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ સહિત વિડિયો અને કોલિંગ જેવી સુવિધાઓને કારણે એપને પસંદ કરવામાં આવે છે. મેટાની માલિકીના વોટ્સએપને ભારત સહિત અનેક દેશોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. જોકે કંપની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખે છે.

જોકે ભારતના IT નિયમ 2021 અનુસાર વોટ્સએપને દરેક મહિને માસિક ઇન્ડિયા રિપોર્ટને જારી કરવાનો રહે છે, જેમાં એ અકાઉન્ટ સામેલ હોય છે, જે કંપની દ્વારા બંધ કરવામાં આવે છે.IT નિયમ 2021ના પાલનમાં જુલાઈમાં ભારતમાં 72 લાખથી વધુ શંકાસ્પદ ખાતાંઓના રેકોર્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો. રિપોર્ટ અનુસાર વોટ્સએપે પહેલી જુલાઈથી 31 જુલાઈ, 2023ની વચ્ચે ભારતમાં 72,28,000માંથી 31,08,000ને કોઈ પણ રિપોર્ટ પહેલાં સક્તિ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. એક ભારતીત ખાથાની ઓળખ +91 દેશ કોડના માધ્યમથી કરવામાં આવે છે.

સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ ઉપયોગકર્તાઓ છે. કંપનીના જણાવ્યાનુસાર ભારતમાં જુલાઈમાં એક વધુ રેકોર્ડ 11,067 ફરિયાદ રિપોર્ટ પ્રાપ્ત થયા હતા અને કાર્યવાહી રેકોર્ડ 72 હતા. “એકાઉન્ટ એક્શન્ડ” એ એવા અહેવાલોનો ઉલ્લેખ કરે છે જ્યાં કંપનીએ અહેવાલના આધારે ઉપચારાત્મક પગલાં લીધાં છે.વોટ્સએપ અનુસાર યુઝર સેફ્ટી રિપોર્ટ જણાવે છે કે કંપનીને કેટલી ફરિયાદો મળી છે અને પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે કંપની દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular