Thursday, June 12, 2025
Google search engine
HomeNewsBusinessરિલાયન્સ બોર્ડમાં સામેલ અંબાણીના સભ્યોને આ લાભાલાભ ચૂકવાશે...

રિલાયન્સ બોર્ડમાં સામેલ અંબાણીના સભ્યોને આ લાભાલાભ ચૂકવાશે…

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેક્ટર બનાવવામાં આવેલા મુકેશ અંબાણીના ફેમિલીના ત્રણે ઉત્તરાધિકારી- આકાશ, અનંત અને ઇશા અંબાણી કોઈ સેલરી નહીં લે. તેમને માટે ડિરેક્ટર બોર્ડ અને સમિતિની મીટિંગમાં સામેલ થવાની ફીસ આપવામાં આવશે.

અબજોપતિ મુકેશ અંબાણીએ ઘોષણા કરી હતી કે તેમનાં પત્ની નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. જોકે તેમનાં ત્રણે સંતાનોની કંપનીમાં અલગ-અલગ ભૂમિકાઓ રહેશે. જોકે ત્રણ જણને બોર્ડમાં સમાવાની સાથે ત્રણે યુવા અંબાણીઓને અનેક સુવિધાઓ મળશે. આ ત્રણે જણને તેમના કઝિન ભાઈ હીતલ અને નિખિલ મેસવાનીથી વિપરીત કંપનીના બોર્ડના સભ્યો તરીકે કોઈ સેલરી નહીં મળે. જોકે તેમને દરેક બેઠક માટે ભથ્થાં મળતાં રહેશે.

કંપનીમાં સામેલ ઇશા, આકાશ અને અનંત અંબાણીને તેમનાં માતા નીતા અંબાણીની જેમ દરેક મીટિંગમાં હાજર રહેવા માટે રૂ. છ લાખ ફી તરીકે મળશે. તેમને માતા નીતા અંબાણીને પણ આ રીતે કોઈ સેલેરી ચૂકવવામાં નહોતી આપતી, પણ તેમને દરેક બેઠકમાં હાજરી આપવા માટે ફી ચૂકવવામાં આવતી હતી. આ ઉપરાંત નીતા અંબાણીને વાર્ષિક ધોરણે રૂ. બે કરોડનું વાર્ષિક કમિશન ચૂકવવામાં આવતું હતું. આ સાથે મુકેશ અંબાણીના ભત્રીજાઓ- હીતલ અને નિખિલ મેસવાનીને કંપનીના મહત્ત્વના કર્મચારીઓની જેમ ઊંચા પગાર ચૂકવવામાં આવશે. અહેવાલો મુજબ હીતલને વર્ષ 2021-22 માટે રૂ. 24 કરોડનું સેલેરી પેકજ અને નિખિલ મેસવાનીને રૂ. વર્ષે દહાડે રૂ. 24 કરોડનું પેકેજ આપવામાં આવતું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular