Sunday, June 8, 2025
Google search engine
HomeNewsBusinessઅદાણી પોર્ટ્સના જમીન મામલે હાઇકોર્ટના આદેશ સામે ‘સુપ્રીમ’ સ્ટે

અદાણી પોર્ટ્સના જમીન મામલે હાઇકોર્ટના આદેશ સામે ‘સુપ્રીમ’ સ્ટે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પરત લેવાની વિરુદ્ધ અદાણી પોર્ટ્સ અને SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની અરજી પર સુનાવણી માટે સહમત થઈ છે. કોર્ટે અદાણી પોર્ટ્સથી 108 હેક્ટર જમીન પરત લેવાનો નિર્દેશ આપતાં ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ જારી કરી કરીને જવાબ માગ્યો છે.

અદાણી પોર્ટ્સને કચ્છમાં 108 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરી હતી, જેમાં જમીનની ફાળવણીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જનહિત અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગોચર ભૂમિના નુકસાનનો હવાલો આપવામાં આવ્યો હતો. ફાળવણી કરવાના નિર્દેશ એ જમીનનો આપવામાં આવ્યો હતો, જે 20 વર્ષ પહેલાં અદાણી જૂથને ફાળવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે હાઇકોર્ટેને સૂચિત કરી હતી કે એ લગભગ 108 હેક્ટર ગોચરની જમીન પરત લેશે, જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટની પાસે અદાણી જૂથની એક કંપનીને આપવામાં આવી હતી. સરકારનો આ નિર્ણય નવીનલ ગામના રહેવાસીઓ દ્વારા અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિ.ને 231 એકર ગોચર જમીન ફાળવણી કરવાના નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ કર્યાના 13 વર્ષ પછી આવ્યો છે.

જોકે તેમણે હાઇકોર્ટે કહ્યું હતું કે અદાણી પોર્ટ્સને જે જમીનની ફાળવણી કરવામાં આવી છે, એ ગોચરની જમીન છે. તેમણે તેમની અરજીમાં તર્ક આપ્યો હતો કે ગામ ગોચરની ભૂમિની અછતનો સામનો કરી રહ્યું છે. રહેવાસીઓ અનુસાર 276 એકર ભૂમિમાંથી 231 એકર જમીન અદાણી પોટ્સને ફાળવણી થયા પછી ગામમાં માત્ર 45 એકર ગોચરની જમીન બચી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular