Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessશેરબજારો 28 જૂનને બદલે 29મી જૂને બકરી ઈદની રજા પાળશે

શેરબજારો 28 જૂનને બદલે 29મી જૂને બકરી ઈદની રજા પાળશે

મુંબઈ તા.27 જૂન, 2023: મહારાષ્ટ્ર સરકારે બકરી ઈદની રજા બુધવાર, 28 જૂન, 2023થી બદલીને ગુરુવાર, 29 જૂન, 2023એ પાળવાની જાહેરાત કરી હોવાથી દેશનાં શેરબજારોએ પણ તેમના બકરી ઈદના ટ્રેડિંગ હોલિડેને તા.28 જૂનથી બદલીને તા. 29 જૂન કર્યો છે.

ટ્રેડિંગ હોલિડે 28 જૂનથી બદલીને 29 જૂન કરવામાં આવતાં શેરબજારોએ તેમના મુખ્ય ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સની સમાપ્તિ તારીખમાં પણ ફેરફાર કરવો પડ્યો છે. સામાન્ય રીતે મહિનાના અંતિમ ગુરુવારે આ કોન્ટ્રેક્ટ્સની સમાપ્તિ થતી હોય છે પરંતુ ગુરુવારે ઈદની રજા જાહેર કરવામાં આવી હોવાથી 29મી જૂને પૂરા થતા કોન્ટ્રેક્ટ્સની સમાપ્તિ તારીખ 28 જૂન કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular