Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessસ્ટેટ બેન્કે છેતરપીંડીવાળા SMS વિશે પોતાના ખાતેદારોને ચેતવ્યા

સ્ટેટ બેન્કે છેતરપીંડીવાળા SMS વિશે પોતાના ખાતેદારોને ચેતવ્યા

નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદાર છો તો તમારે નેટ બેન્કિંગને લઈને વધુ સાવધ રહેવાની જરૂર છે. વાસ્તવમાં SBIએ પોતાના ગ્રાહકોને એક મેસેજ મોકલીને સાવધ કર્યા છે કે જો તમે છેલ્લા 180 દિવસો (છ મહિના)માં તમારો નેટ બેન્કિંગ પાસવર્ડ અપડેટ કર્યો ન હોય તો એને વહેલામાં વહેલી તકે અપડેટ કરી દો. બેન્કે ગ્રાહકોને કહ્યું છે કે તેઓ SBIના ઓનલાઇન પોર્ટલ પર જઈને પોતાના ખાતાની માહિતીને અપડેટ કરી શકે છે.

જો કોઈ મેસેજ આવે તો એને તરત ડિલીટ કરો

બેન્કે કહ્યું છે કે જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે તો તમે તેની અવગણના કરજો અને એ મેસેજને તરત જ ડિલીટ કરી દો. બેન્કના જણાવ્યા મુજબ તમારી પાસે એવો કોઈ મેસેજ આવે છો તો તમે એની માહિતી SBIના અન્ય ગ્રાહકોને પણ જણાવી શકો છો.

ટેક્નોલોજી સાથે કેટલાંક જોખમો પણ

ટેક્નોલોજીથી આપણાં ઘણા કામ સરળ થાય છે, પણ એનાથી કેટલાંક જોખમો પણ રહે છે. કેટલીક વાર નકલી સિમ ક્લોનિંગ અથવા સિમ સ્વેપિંગ દ્વારા છેતરપીંડી થઈ જાય છે. હકીકતમાં ફ્રોડ કરનાર વ્યક્તિ તમારા સિમનું ડુપ્લિકેટ સિમ બનાવી લે છે. સિમ સ્વેપનો અર્થ છેતરપીંડી કરનારો સિમ બદલી નાખે છે. પછી એ વ્યક્તિ તમારા ફોન નંબરથી એક નવા સિમનું રજિસ્ટ્રેશન કરાવી લે છે. ત્યાર બાદ તમારું સિમ બંધ થઈ જાય છે. સિમ બંધ થયા પછી તમારા નંબર પર રજિસ્ટર્ડ થયેલા બીજા નંબર પર આવતા OTP દ્વારા કોઈ પણ વ્યક્તિ તમારા ખાતામાંથી પૈસા કાઢી લઈને તમને ચૂનો લગાવી શકે છે.

સાવધ રહો

આનાથી બચવા માટે જો તમારા સિમ કાર્ડ પર નેટવર્ક ઠીક ચાલતું ન હોય અથવા તમારા ફોન પર ન તો કોઈ કોલ્સ આવે કે ન તો કોઈ અલર્ટ આવે તો તરત એની ફરિયાદ તમારા મોબાઇલ ઓપરેટરને કરો. તમારે સિમ ક્લોનિંગ જેવા છટકાથી બચવા માટે અલર્ટ રહેવું જરૂરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular