Sunday, June 29, 2025
Google search engine
HomeNewsBusinessશરણાર્થીમાંથી બન્યા UKના સફળ બિઝનેસમેન સુખપાલ સિંહ

શરણાર્થીમાંથી બન્યા UKના સફળ બિઝનેસમેન સુખપાલ સિંહ

નવી દિલ્હીઃ 50 વર્ષ પહેલાં ક્રૂર શાસક ઇદી અમીનને કારણે યુગાન્ડામાં ભારતીય મૂળના સુખપાલ સિંહ અહલુવાલિયાનું જીવન ખેદાનમેદાન થઈ ગયું હતું. 1972માં 13 વર્ષની વયે સુખપાલ સિંહ બ્રિટન ચાલ્યા ગયા હતા અને એક શરણાર્થી શિબિરમાં ચાલ્યા ગયા હતા. તેમનો પરિવાર RAF ગ્રીનહેમ કોમનમાં શરણાર્થી શિબિરમાં રહેતો હતો, પરંતુ એનું સપનું તૂટ્યું નહીં, કેમ કે તેમની પાસે ગુમાવવા માટે કંઈ હતું જ નહીં.

અમે સારી રીતે જીવી શકીએ એ માટે મારા માતાપિતાએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. પાછળ ફરીને જોવા પર કષ્ટદાયક વાતો હતી, એમ કહેતાં તેઓ ભાવુક થયા હતા. તેઓ નાણાકીય ખેંચને કારણે અભ્યાસ પણ પૂરો નહોતો કરી શક્યા. જોકે પરિવારને ઉપર લાવવા માટે તેમણે 1978માં પહેલો વેપાર યુરો કાર પાર્ટસ -કંપની સ્થાપિત કરવા માટે મહામૂલી બચત લગાવી હતી. કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી અને યુરોપની કાર સપ્લાયર્સની ટોચની કંપની બની ગઈ હતી.

સુખપાલ સિંહે કહ્યું હતું કે તેમણે 18 વર્ષની વયે હાઇવે ઓટો ખરીદવા માટે પૈસા ઉછીનાં લીધાં હતાં. તેમણે 2011માં 225 મિલિયન પાઉન્ડમાં યુરો કોમ્પોનન્ટ વેચ્યાં હતા. એ જ વર્ષે તેમણે UKમાં રિયલ એસ્ટેટ કંપની ડોમિનવ્સ ગ્રુપની સ્થાપના કરી હતી, જેની સંપત્તિ એક અબજ પાઉન્ડથી વધુ છે.

સુખપાલ સિંહ તેમની સફળતાનું શ્રેય આકરી મહેનત અને લગનને આપે છે. તેમણે કહ્યું હતું કે આપણે તકનો લાભ લેવા માટે હંમેશાં સતર્ક રહેવું જોઈએ.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular