Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ વધારેઃ પીએમ મોદીનો આગ્રહ

ખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ વધારેઃ પીએમ મોદીનો આગ્રહ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના ખાનગી ક્ષેત્રની કંપનીઓએ મૂડીરોકાણ વધારવું જોઈએ અને બજેટ-2023માં જાહેર કરવામાં આવેલી તકોનો લાભ ઉઠાવવો જોઈએ.

પીએમ મોદી બજેટ-બાદના એક વેબિનારમાં સંબોધન કરી રહ્યા હતા. વેબિનારનું શિર્ષક હતું: ‘વિકાસની તકોના નિર્માણ માટે નાણાકીય સેવાઓની કાર્યક્ષમતા વધારીએ’. એમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર દેશના વિકાસમાં મદદરૂપ થાય છે અને સરકાર એને ટેકો આપતી રહેશે. આ વખતના બજેટમાં મૂડી ખર્ચ 33 ટકા વધારીને રૂ. 10 ટ્રિલિયન કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular