Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsBusinessપોતાને શિક્ષણ આપનાર સંસ્થા 'IIT મુંબઈ'ને નંદન નીલેકણીએ રૂ. 315 કરોડનું દાન...

પોતાને શિક્ષણ આપનાર સંસ્થા ‘IIT મુંબઈ’ને નંદન નીલેકણીએ રૂ. 315 કરોડનું દાન આપ્યું

મુંબઈઃ દેશની દિગ્ગજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સંસ્થાપક અને નોન-એક્ઝિક્યૂટિવ ચેરમેન નંદન નીલેકણીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-મુંબઈ (આઈઆઈટી-મુંબઈ) સંસ્થાને રૂ. 315 કરોડનું દાન આપ્યું છે. તેઓ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. નીલેકણી રાષ્ટ્રીય ઓળખપત્ર અથવા યૂનિક આઈડેન્ટિટી કાર્ડ (આધાર કાર્ડ) યોજનાના સંસ્થાપક ચેરમેન છે.

નીલેકણીએ અગાઉ પણ આઈઆઈટી-મુંબઈ સંસ્થાને રૂ. 85 કરોડનું દાન આપ્યું હતું. દાનની નવી રકમથી આ સંસ્થાને જાગતિક સ્તરે પાયાભૂત સુવિધા તૈયાર કરવામાં મદદ મળશે. તે ઉપરાંત, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવા સંશોધન અને સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં પ્રોત્સાહન પણ મળશે.

આઈઆઈટી-મુંબઈને નીલેકણીએ આપેલું દાન સૌથી મોટી રકમનું છે. એમણે 1973માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે આઈઆઈટી-મુંબઈમાં પ્રવેશ મેળવ્યો હતો. નીલેકણીએ કહ્યું છે, આ સંસ્થાનું મારા જીવનમાં અસાધારણ મહત્ત્વ છે. આ સંસ્થાએ મને ઘણું જ આપ્યું છે. મારી જિંદગીના શરૂઆતના તબક્કામાં મારી કારકિર્દીને આકાર આ સંસ્થાએ આપ્યો હતો. આ સંસ્થા સાથેના મારા સંબંધે આજે 50મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મેં આ દાન આપ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular