Friday, August 29, 2025
Google search engine
HomeNewsBusinessભારતમાં એક વર્ષમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઈ

ભારતમાં એક વર્ષમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઈ

નવી દિલ્હીઃ ભારતમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઈ હોવાની જાણકારી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં આપી હતી. એમણે કહ્યું કે દેશમાં 2019-20માં 141 અબજપતિઓ હતા, પણ 2020-21માં એ સંખ્યા ઘટીને 136 થઈ ગઈ છે. આવકવેરા રિટર્નમાં ઘોષિત કરાયેલી ગ્રોસ કુલ આવકના આધારે અબજપતિઓની સંખ્યાની જાણ થઈ છે.

સીતારામને રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે વર્ષ 2018-19 દરમિયાન આવકવેરા વિભાગને સુપરત કરેલા પોતાનાં ઈન્કમ ટેક્સ રિટર્ન દસ્તાવેજમાં રૂ. 100 કરોડ (એક અબજ રૂપિયા)થી વધારે ગ્રોસ કુલ આવક ઘોષિત કરનાર વ્યક્તિઓની સંખ્યા હતી 77.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular