Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessભારતીય રેલવે હવે માલસામાનની હોમ ડિલિવરી કરશે

ભારતીય રેલવે હવે માલસામાનની હોમ ડિલિવરી કરશે

નવી દિલ્હીઃ રેલવે સમયની સાથે એની સર્વિસિસમાં ફેરફાર કરી રહી છે. હવે રેલવે માત્ર યાત્રા અને માલસામાનનું જ વહન નથી કરતી, પણ હવે રેલવે નવી-નવી કેટલાય પ્રકારની સર્વિસ શરૂ કરી રહી છે, જેનાથી લોકોને વધુ સુવિધા મળી શકે. રેલવે હવે લોકોના માલસામાનની હોમ ડિલિવરી કરશે. આ ડોર-ટુ-ડોર સર્વિચને શરૂ કરવા માટે રેલવે પોસ્ટ ઓફિસ અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને પણ સર્વિસમાં સામેલ કરવાની તૈયારીમાં છે.

રેલવેની આ સર્વિસ લોકો સુધી પહોંચાડવા માટે એક મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવશે. તમે મોબાઇલ એપ દ્વારા પાર્સલ ડિલિવરીના ઓર્ડરની માહિતી મેળવી શકશો. એ પછી તમારે એ પાર્સલની ચુકવણી કરવાની રહેશે. જે પછી માલસામાનની ડિલિવરી જેતે જગ્યાએ થઈ જશે. જોકે આ સુવિધા રેલવે હાલ એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી રહી છે. જેની સફળતા મળ્યા પછી એનો વ્યાપ વધારવામાં આવશે.

જોકે મિડિયા અહેવાલો મુજબ રેલવેએ આ પ્રોજેક્ટ શરૂ પણ કરી દીધો છે. હાલ આ દેશના કેટલાક ભાગોમાં અપડેટ કરવામાં આવી રહ્યો છે. હાલમાં દિલ્હી,NCR અને ગુજરાતના સાણંદ અને મુંબઈની વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વિસ માટે રેલવે બહુ જલદી એક એપ લોન્ચ કરશે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિ આ ડોર-ટુ-ડોર સર્વિસનો લાભ ઉઠાવી શકશે.

આ સાથે નવી સર્વિસથી રેલવેની કમાણી પણ વધશે. રેલવેની કમાણીને વધારવા માટે કેટલીક જોગવાઈ કરવામાં આવી છે.  રેલવે આ સર્વિસ લોકો સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની મદદ લેશે.સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ મોબાઇલ એપ દ્વારા એના માલસામાનનું બુકિંગ કરશે, એ પછી રેલવે પોસ્ટ સર્વિસની મદદથી એ સામાનને જેતે જગ્યાએ પહોંચાડાશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular