Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessસરકારની અર્થતંત્રને વેગ આપવા નિકાસ, મૂડીરોકાણ વધારવાની યોજના

સરકારની અર્થતંત્રને વેગ આપવા નિકાસ, મૂડીરોકાણ વધારવાની યોજના

નવી દિલ્હીઃ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી ઘેરાવાના અહેવાલો વચ્ચે ભારતે નિકાસની સાથે મૂડીરોકાણ વધારવા પર નવેસરથી કામ કરવાનું શરૂ ક્રુયં છે. વેપાર મંત્રાલય એ વિશે એક વિસ્તૃત યોજના તૈયાર કરી છે. જે હેઠળ નિકાસ અને મૂડીરોકાણ વધારવા માટે અમેરિકા અને બ્રિટન સહિત 12 દેશોની ઓળખ કરવામાં આવી છે. હવે આ 12 દેશોના બજારોમાં નવેસરથી અભ્યાસ કરવામાં આવશે.

મંત્રાલય દ્વારા એ જોવામાં આવશે કે કઈ-કઈ ચીજવસ્તુઓના વેપાર આ દેશોની સાથે વધારી શકાય છે. એ પણ જોવામાં આવશે કે કઈ-કઈ ચીજવસ્તુઓની ભારત સરળતાથી આ દેશોમાં નિકાસ કરી શકે છે. એની સામે આ દેશો માટે ભારતમાં મૂડીરોકાણ કરવાનું સરળ બનાવવામાં આવશે. આ દેશોને મૂડીરોકાણ પર વિષેષ રાહત પણ આપવામાં આવશે. કેન્દ્રનું કહેવું છે કે જો નિકાસ અને મૂડીરોકાણમાં તેજી રહી તો અર્થતંત્ર મજબૂત થશે. નોકરીઓ પણ બજારમાં વધુ આપશે.

આ વ્યૂહરચના પાછળ એક જ લક્ષ્ય છે કે વૈશ્વિક સ્લોડાઉનની અસર ભારતીય અર્થતંત્ર, નિકાસ અને મૂડીરોકાણ પર ઓછામાં ઓછી થાય, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજનાની યાદીમાં 12 પ્રાથમિકતાવાળા દેશો- અમેરિકા, બ્રાઝિલ, સાઉદી અરેબિયા, કેનેડા, બ્રિટન, જર્મની, સ્વીડન, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને રશિયાનું નામ છે. આ યોજનાના ભાગરૂપે મંત્રાલયે વિવિધ દેશોમાં રોડ-શો આયોજિત કરશે, જેમાં મૂડીરોકાણ અને વેપારને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ સામેલ થશે.

પાછલા કેટલાક મહિનાઓથી નિકાસમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, ક્યારેક નિકાસ ઘટી જાય છે તો ક્યારેક વધી જાય છે. આ જ હાલ વિદેશી મૂડીરોકાણના છે, જેની સીધી અસર વિદેશી કરન્સી પર જોવા મળી હતી.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular