Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessઓપનએઆઈ પ્રકરણમાં નાટ્યાત્મક વળાંક: ઓલ્ટમેન સીઈઓ તરીકે પાછા ફર્યા

ઓપનએઆઈ પ્રકરણમાં નાટ્યાત્મક વળાંક: ઓલ્ટમેન સીઈઓ તરીકે પાછા ફર્યા

સેન ફ્રાન્સિસ્કોઃ ચેટજીપીટી ડેવલપ કરનાર ઓપનએઆઈ કંપનીના પ્રકરણમાં આખરી વળાંક આવ્યો હોય એવું લાગે છે, કારણ કે સીઈઓ પદેથી હાંકી કઢાયા બાદ હવે સેમ ઓલ્ટમેને જ કહ્યું છે કે તેઓ કંપનીમાં પાછા ફરશે. ઓલ્ટમેનની હકાલપટ્ટી કર્યા બાદ ઓપનએઆઈના બોર્ડના સભ્યોએ જ રાજીનામું આપી દીધું હતું. હવે નવા બોર્ડની રચના કરવામાં આવી છે અને ઓપનએઆઈની મુખ્ય સમર્થક કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાના ટેકા સાથે ઓલ્ટમેન કંપનીમાં પાછા ફર્યા છે. આ જાણકારી એમણે X (ટ્વિટર) પર એક પોસ્ટ મારફત આપી છે. એમણે લખ્યું છે કે, એમને ઓપનએઆઈ પ્રત્યે ખૂબ લગાવ છે અને પોતે છેલ્લા અમુક દિવસો દરમિયાન જે કંઈ કર્યું છે તે એમની ટીમને સંગઠિત રાખવા તથા ટીમના મિશનની સેવા અર્થે કર્યું છે.

ઓલ્ટમેને વધુમાં કહ્યું છે કે, મેં જ્યારે ગયા રવિવારની સાંજે માઈક્રોસોફ્ટમાં જોડાવાનો નિર્ણય લીધો, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે મારા તેમજ ટીમ માટે એ શ્રેષ્ઠ માર્ગ હતો. હવે નવા રચાયેલા બોર્ડ તથા નડેલાના ટેકા સાથે હું ઓપનએઆઈમાં પાછો ફરવા અને માઈક્રોસોફ્ટ સાથે અમારી ભાગીદારીને મજબૂત બનાવવા ઉત્સૂક છું.

ઓપનએઆઈ કંપનીએ પણ કહ્યું છે કે તેણે સીઈઓ તરીકે કંપનીમાં પાછા ફરવા માટે ઓલ્ટમેન સાથે સૈદ્ધાંતિક રીતે એક સમજૂતી કરી છે. નવા બોર્ડમાં બ્રેટ ટેલર (ચેરમેન), લેરી સમર્સ અને એડમ ડીએન્જેલો છે. ઓપનએઆઈમાં નવા બોર્ડની રચનાને સત્યા નડેલાએ આવકારી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular