Sunday, September 21, 2025
Google search engine
HomeNewsBusinessબીએસઈ ગ્રુપ, કર્મચારીઓ દ્વારા PM કેર ફંડમાં બે કરોડ...

બીએસઈ ગ્રુપ, કર્મચારીઓ દ્વારા PM કેર ફંડમાં બે કરોડ રૂપિયાનું દાન

મુંબઈ: જ્યારે પણ દેશમાં મોટી આફત આવે છે ત્યારે જે અગ્રણી સંસ્થાઓ મદદનો હાથ લંબાવતી હોય છે અને તેમાં દેશનું અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈ મોખરે હોય છે.

અત્યારે દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે બીએસઈ ગ્રુપે વડાપ્રધાનના રાહતનિધિમાં બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણે આજે ટ્વિટ કર્યું હતું કે, COVID-19 સામેની લડતમાં અમે રાષ્ટ્રની પડખે છીએ. બીએસઈ ગ્રુપ અને તેના કર્મચારીઓએ પીએમ કેર ફંડમાં બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

અતિવૃષ્ટિ, પૂર, દુકાળ કે ભૂકંપ જેવી કોઈપણ આપત્તિ સમયે રાષ્ટ્રની સેવામાં તત્પર રહેવાની બીએસઈની પરંપરા રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular