Monday, July 14, 2025
Google search engine
HomeNewsBusinessકોરોના વાઈરસની અસરઃ ઝોમેટો, સ્વિગીને કોઈ ઘરાક મળતા નથી

કોરોના વાઈરસની અસરઃ ઝોમેટો, સ્વિગીને કોઈ ઘરાક મળતા નથી

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ કંપનીઓ સ્વિગી અને ઝોમેટો કોરોના વાઈરસના ફેલાવાને કારણે સમગ્ર દેશમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરાતાં ભારે કફોડી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.

નવાઈની વાત એ છે કે ડિજિટલ ઈન્ડિયામાં ઝોમેટો, સ્વિગીને ગ્રાહકો મેળવવામાં ભારે તકલીફ પડી રહી છે, કારણ કે લોકડાઉનને કારણે દેશભરમાં હોટેલ-રેસ્ટોરન્ટ્સ બંધ છે. ક્લાઉડ કિચન્સ પણ બંધ છે.

સ્માર્ટફોન-બેઝ્ડ ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ્સ ઝોમેટો અને સ્વિગીના ડિલીવરી બોઈઝ રસ્તા પર દેખાય કે તરત જ સત્તાવાળાઓ એમને ચેતવણી આપીને પાછા મોકલી દે છે.

દેશભરમાં રેસ્ટોરન્ટ્સ જ બંધ હોવાથી લાખો ફૂડ લવર્સ ક્યાંય ઓર્ડર આપી શકતા નથી. જે અમુક વિસ્તારોમાં કેટલીક ફૂડ આઉટલેટ્સ ખુલ્લી રાખવામાં આવે છે ત્યાં પણ પોલીસ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ ડિલીવરી બોઈઝને અટકાવે છે.

ઝોમેટોના એક પ્રવક્તાએ કહ્યું છે કે સમગ્ર દેશમાં અમારા ડિલીવરી પાર્ટનર્સને અનેક અવરોધો નડી રહ્યાં છે. ફૂડ ડિલીવરીને આવશ્યક સેવા ગણવામાં આવી છે, પરંતુ ઉક્ત બે કંપનીના ડિલીવરી બોઈઝને અટકાવવામાં આવી રહ્યા છે. અમે સંબંધિત સત્તાવાળાઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આનો ઉકેલ આવવાની સંભાવના છે.

ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે કહ્યું છે કે આવશ્યક સેવાઓને જરાય મુશ્કેલી વગર ચાલુ રહેવા દેવી જોઈએ તેથી આ વિશે જે ગૂંચવણ ઊભી થઈ છે એ દૂર કરવા અમે સત્તાવાળાઓ સાથે ચર્ચામાં છીએ.

સ્વિગી કંપનીએ જણાવ્યું છે કે આ લોકડાઉનને કારણે અમારા બિઝનેસ કદ પર અસર પડશે. મોલ્સમાં આવેલી રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવી છે એને કારણે સપ્લાયની તંગી ઊભી થઈ છે.

સ્વિગીના પ્રવક્તાએ પણ કહ્યું કે આ કટોકટીના સમયમાં અમારો સરકારને, ખાસ કરીને ગ્રાહકોને પૂરો સહકાર છે.

ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી માર્કેટમાં આ બંને કંપનીનું વર્ચસ્વ છે. ઝોમેટોએ તો ઉબેરનો ભારતમાંનો ફૂડ ડિલીવરી બિઝનેસ પણ ખરીદી લીધો છે. એ માટે તેણે ઉબેર સાથે 35 કરોડ ડોલરનો ઓલ-સ્ટોક સોદો કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular