Monday, June 9, 2025
Google search engine
HomeNewsBusinessએનએસઈના આશિષકુમાર ચૌહાણ સિંગાપોરમાં 'લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ'થી સમ્માનિત

એનએસઈના આશિષકુમાર ચૌહાણ સિંગાપોરમાં ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’થી સમ્માનિત

મુંબઈ તા.26 મે, 2023: સિક્યુરિટીઝ સર્વિસીસને આવરી લેતી એક અગ્રગણ્ય આાંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થા ગ્લોબલ કસ્ટોડિયને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ- લીડર્સ ઈન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’થી સન્માનિત કર્યા છે. સિંગાપોરમાં 25મી મેએ યોજાઈ ગયેલા એક સમારંભમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આશિષકુમાર ચૌહાણે દૂરદર્શી બિઝનેસ લીડર તરીકે બીએસઈ અને એનએસઈ, એમ બંને ભારતીય સ્ટોક એક્સચેન્જીસ સંચાલનના કેન્દ્રમાં રહી ભારતીય સિક્યુરિટીઝ બજારમાં આપેલા ઉત્કૃષ્ટ યોગદાનને પગલે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

સિક્યુરિટીઝ સર્વિસીસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ક્ષેત્રે એશિયા પેસિફિક રિજનમાં જેમનું વિશિષ્ટ યોગદાન હોય તેમને ‘લીડર્સ ઈન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’ આપવામાં આવે છે અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે, જેમનું દસકાઓ સુધી વ્યક્તિગતપણે મોટું યોગદાન રહ્યું હોય.

ગ્લોબલ કસ્ટોડિયન પાછલાં 30 વર્ષથી ગ્લોબલ સિક્યુરિટીઝ સર્વિસીસ ક્ષેત્રમાં સંપાદકીય વિચારો માટે વિખ્યાત છે અને તેના વાર્ષિક સર્વેક્ષણો ઉદ્યોગ માટે બેન્ચમાર્ક બની રહ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular