Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessએર ઇન્ડિયાએ સંજય શર્માની CFO તરીકે નિમણૂક કરી

એર ઇન્ડિયાએ સંજય શર્માની CFO તરીકે નિમણૂક કરી

ગુરુગ્રામઃ એર ઇન્ડિયાએ 10 જૂનથી અમલમાં આવે એ રીતે સંજય શર્માની ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. શર્મા કંપનીના CEO અને MD કેમ્પબેલ વિલ્સનને રિપોર્ટ કરશે. તેમની પાસે કોર્પોરેટ, નાણા, ઇન્વેસ્ટમેન્ટ્સ બેન્કિંગ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે અને તેઓ ટાટા પ્રોજેક્ટ્સ લિ.થી એરપ ઇન્ડિયામાં સામેલ થયા છે. ત્યાં તેઓ CFO હતા.

ટાટા પ્રોજેક્ટ્સથી પહેલાં તેઓ ટાટા રિયલ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના CFO અને ડોઇશ બેન્ક ગ્રુપમાં ઇક્વિટી કેપિટલ માર્કેટ્સના વડા અને MD હતા.  એ પહેલાં તેમણે મુંબઈમાં DSP મેરિલ લિંચ લિ. અને હોંગકોંગની મેરિલ લિન્ચ એશિયા પેસેફિકમાં વિવિધ પદોએ કામ કર્યું હતું.

શર્માએ કંપનીમાં વિનોદ હેજમાડીનું સ્થાન લીધું હતું, જે કંપનીના ત્રણ દાયકાથી વધુના સમયની સેવા આપીને નિવૃત્ત થયા હતા. શર્માની નિમણૂક પર ટિપ્પણી કરતાં કંપનીના MD અને CEO કેમ્પબેલ વિલ્સને કહ્યુંહ તું કે અમને સંજયને લીડરશિપ ટીમમાં સામેલ થવા પર ખુશી છે અને અમે કંપનીમાં ચાલી રહેલા ફેરફારોમાં તેમના યોગદાન માટે તત્પરતા અનુભવીએ છે. વલી, અમે કંપનીમાં ત્રણ દાયકાની સેવા આપ્યા પછી નિવૃત્ત થઈ રહેલા વિનોદનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular