Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsBusinessઆદિત્ય બિરલા સન લાઇફ મલ્ટી એસેટ એલોકેશન ફંડના એનએફઓને જબ્બર પ્રતિસાદ

આદિત્ય બિરલા સન લાઇફ મલ્ટી એસેટ એલોકેશન ફંડના એનએફઓને જબ્બર પ્રતિસાદ

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મલ્ટી એસેટ એલોકેશન ફંડની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ)ને હાલમાં જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. આ ઓફરમાં 70,000 રોકાણકારોએ કુલ 1,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ઉક્ત ફંડ ઈક્વિટી, ફિક્સ્ડ એસેટ, સોનું/ચાંદી અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઈઆઇટી)માં રોકાણ કરે છે.

આ વિષયે વધુ માહિતી આપતાં આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના એમડી-સીઈઓ એ. બાલસુબ્રમણ્યને કહ્યું છે કે આ ફંડમાં અલગ રીતે પોર્ટફોલિયોનું સંયોજન કરવામાં આવ્યું છે. વધુ રિટર્ન ઓન ઈક્વિટી તથા ઓછું કરજ ધરાવતી અને કામકાજમાંથી વધુ રોકડ આવકનું સર્જન કરતી ઉચ્ચ ગુણવત્તાની અને વધુ વૃદ્ધિલક્ષી કંપનીઓમાં ફંડે રોકાણ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular