Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsBusinessઅદાણી એનર્જીએ મુંબઈમાં ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

અદાણી એનર્જીએ મુંબઈમાં ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

મુંબઈઃ અદાણી એનર્જી સોલ્યૂશન્સ (અગાઉની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ) કંપનીએ મુંબઈમાં 400 કિલોવોટ કનેક્શનનું કામ પૂરું કરી લીધું છે. આ અંતર્ગત ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઈન ચાલુ કરવામાં આવી છે.

ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન લિમિટેડ પ્રોજેક્ટ નવી મુંબઈના ખારઘરથી શરૂ થઈને ઈશાન મુંબઈના વિક્રોલીમાં સમાપ્ત થશે. કંપનીનું કહેવું છે કે 9,500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી આ લાઈન, 400 KV સબસ્ટેશનમાં સૌથી કોમ્પેક્ટ ડિઝાઈન છે. આની અનોખી ડિઝાઈનમાં 400 KV અને 220 KV GISને ઊભા ખંડમાં એકની ઉપર એક બનાવવામાં આવ્યા છે. ખારઘર-વિક્રોલી લાઈનથી મુંબઈ શહેરમાં વધુ 1,000 મેગાવોટ વીજળી પૂરવઠો પૂરો પાડી શકાશે.

તદુપરાંત, અદાણી ગ્રુપ 2027ની સાલ સુધીમાં 10 ગીગાવોટ સોલર ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા કરવા ધારે છે. હાલ તેની ક્ષમતા 4 ગીગાવોટ સોલર ઉત્પાદનની છે. કંપનીએ 3,000 મેગાવોટની નિકાસનો એક ઓર્ડર મેળવ્યો છે, જે આવતા 15 મહિનામાં પરિપૂર્ણ કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular