Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessABSLMCએ આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETF લોન્ચ કર્યું

ABSLMCએ આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETF લોન્ચ કર્યું

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)ની આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETFએ નિફ્ટી PSE ઇન્ડેક્સને ટ્રેક કરતું ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લોન્ચ કર્યું છે. આ ન્યુ ફંડ ઓફર (NFO)ની બીજી મે, 2024થી 16 મે, 2024 સુધી ખુલ્લી રહેશે.

ETF રોકાણકારોને ભારતની પબ્લિક ક્ષેત્રની કંપનીઓ (PSEs)માં મૂડીરોકાણ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે, જે આગળ અર્થતંત્રને વેગ આપવા માટે જવાબદાર છે. છેલ્લા એક દાયકામાં જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે માગમાં વધારો, નાણાકીય સપોર્ટ, બજારની સ્થિતિ અને સારું મૂલ્યાંકન- વગેરે સાનુકૂળ સંજોગો પેદા થયા છે. આ સાથે PSEsમાં કોર્પોરેટ ગવર્નન્સ, વેપારની વ્યહૂરચના, કાર્યક્ષમતામાં સુધારો થયો છે. જેને પગલે રોકાણકારોના વિશ્વાસમાં વધારો, નફાશક્તિમાં સુધારો અને મૂલ્યમાં પણ વધારો થયો છે.

આ યોજના સંયુક્ત લાભ આપે છે, જ્યાં રોકાણકારો તેજીવાળા બજારમાં જાહેર ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં મૂડીરોકાણ દ્વારા ઊંચો લાભ –બંને ઊંચું ડિવિડન્ડ યિલ્ડ અને લાંબા ગાળાનો ગ્રોથ મેળવી શકે છે. વધારામાં આ કંપનીઓને સરકારનું પીઠબળ હોવાથી વ્યક્તિગત શેરોની તુલનાએ આ કંપનીઓના શેરોમાં ઓછી વોલેટિલિટી હોય છે, કેમ કે આ યોજનામાં સમાવિષ્ટ શેરોનું પાવર, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્ઝ, મેટલ્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રની કંપનીઓ વગેરે પર ધ્યાન કેન્દ્રિત હોય છે.

આ ETFમાં મૂડીરોકાણ દ્વારા મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ હોવાથી રોકાણકારોને ભારતીય અર્થતંત્રમાં ભાગ લેવાની તક મળે છે. વળી, આ મૂડીરોકાણની તક રોકાણકારોને વિસ્તૃત શૃંખલા પૂરી પાડે છે, કેમ કે લાંબા ગાળાના હોલ્ડર (રોકાણકર્તા)ને લાંબા ગાળાના વિકાસ, વ્યક્તિગત આવક પર ધ્યાન કેન્દ્રિત અને જે રોકાણકારોને વૈવિધ્યકરણની ઇચ્છા રાખતા હોય તેમને આ ETF PSE સેક્ટરની કંપનીઓમાં ઊંચું મૂલ્ય મેળવી શકે છે.

નવા ફંડના લોન્ચ પર ટિપ્પણી કરતાં ABSLAMCના MD અને CEO એ. બાલાસુબ્રમણિયને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની કંપની ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી PSE ETF થકી અમે રોકાણકારો સતત વિકાસ કરવાની અને આ કંપનોમાં મૂડીરોકાણ થકી લાભ કરવાની તક આપીએ છીએ. આ જાહેર ક્ષેત્રની કંપનીઓ દેશને 2047 સુધી રૂ. સાત લાખ કરોડનું અર્થતંત્ર બનાવવાની દિશામાં અને વિકસિત ભારતની દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ સાથે ETF આ કંપનીઓની મજબૂત સ્થિતિ અને સ્થિરતાનો લાભ ઉઠાવવા માટે એક સુવિધાજનક તક પૂરી પાડે છે, જેથી નિફ્ટી PSE ઇન્ડેક્સ પર નજર રાખવા સાથે રોકાણકારોએ આ કંપનીઓમાં મૂડીરોકાણ કરવાની તક મળે છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular