Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessકોરોનાને કારણે પર્યટન ક્ષેત્રમાં પાંચ કરોડ નોકરીઓમાં કાપની સંભાવના

કોરોનાને કારણે પર્યટન ક્ષેત્રમાં પાંચ કરોડ નોકરીઓમાં કાપની સંભાવના

નવી દિલ્હીઃ દેશના ઉદ્યોગ ક્ષેત્રની આગેવાન સંસ્થાઓએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોના વાઈરસને કારણે લેવામાં આવેલા પગલાંને લીધે પર્યટન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. પાંચ કરોડ જેટલી નોકરીઓમાં કાપ મૂકવો પડે એવી સંભાવના છે. સરકાર તરફથી આ ક્ષેત્રને રીલિફ પેકેજીસની જરૂર છે.

પર્યટન ઉદ્યોગની સંસ્થાઓ સાથે સરકારે શનિવારે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. એ દરમિયાન આ સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ કહ્યું કે કોરોના વાઈરસના ફેલાવાને લીધે વિઝા આપવા પર પ્રતિબંધ મૂકાતાં પર્યટન અને એવિએશન સેક્ટરોને આશરે રૂ. 8,500 કરોડની ખોટ જવાનો સંભવ છે.

નાણાકીય પેકેજ આપવા વિશે પર્યટન ઉદ્યોગની સંસ્થાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખ્યો છે.

પર્યટન અને આતિથ્ય ઉદ્યોગોના 10 સંગઠનોનાં પ્રમુખોએ શનિવારે કેન્દ્રીય ટૂરિઝમ મંત્રાલયના સચિવ યોગેન્દ્ર ત્રિપાઠી સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. આ 10 સંગઠનો ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઈન ઈન્ડિયન ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (FAITH)ના છત્ર હેઠળ એકત્ર થયા છે.

ત્રિપાઠીએ કબૂલ કર્યું હતું કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ભારતના તમામ ઉદ્યોગો કરતાં ટૂરિઝમ ઉદ્યોગ પર ખૂબ માઠી અસર પહોંચશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ વિમાન સેવાઓ બંધ સસ્પેન્ડ કરી દીધી છે. તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન ઉદ્યોગ પણ ઠપ છે.

પર્યટન અને આતિથ્ય-સત્કાર ઉદ્યોગોએ કેટલીક માગણીઓ સરકાર સમક્ષ મૂકી છે. જેમ કે, પર્યટન, પ્રવાસ અને આતિથ્ય ઉદ્યોગોને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) તથા આવકવેરા ચૂકવણીમાં એક વર્ષ સુધીની છૂટ મળવી જોઈએ, ટર્મ લોનના માસિક હપ્તાઓ તેમજ વ્યાજની ચૂકવણીને 12-મહિના સુધી સ્થગિત કરી દેવી જોઈએ.

એસોસિએશનોએ એવી પણ માગણી કરી છે કે પ્રોવિડન્ટ ફંડ (પીએફ) યોગદાન અને એમ્પલોઈઝ સ્ટેટ ઈન્શ્યુરન્સ (ઈએસઆઈ)ને એક વર્ષ માટે માફ કરી દેવા જોઈએ તથા જીએસટી લાયાબિલિટી, એડવાન્સ ટેક્સ, કસ્ટમ્સ ડ્યૂટીઝ, એક્સાઈઝ ડ્યૂટીઝ, VAT અને TDSને એક વર્ષ માટે મોકૂફ રાખવા જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular