Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsMumbaiNCP અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની ઘાતકી હત્યા

NCP અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની ઘાતકી હત્યા

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં હુમલાખોરો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે NCP (અજિત પવાર જૂથ)ના નેતા સચિન કુર્મી પર શુક્રવારે મોડી રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે નેતા પર હુમલો મુંબઈના ભાયખલા વિસ્તારમાં મ્હાડા કોલોની પાછળ કરવામાં આવ્યો હતો.

OLYMPUS DIGITAL CAMERA

સચિન કુર્મી પર કોણે કર્યો હુમલો?

મુંબઈ પોલીસે કહ્યું,“આ ઘટના શુક્રવારે મધરાતે બની હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ સચિન કુર્મીને નજીકની જેજે હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ કુર્મીને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.”

પોલીસે જણાવ્યું કે સચિન કુર્મી પર કોણે હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ નથી. પોલીસના જણાવ્યા અનુસાર સચિન કુર્મી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા. ઘટનાને અંજામ આપીને હુમલાખોરો નાસી ગયા હતા. આ ઘટનાથી વિસ્તારના લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા, પરંતુ હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી. હજુ તપાસ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે સચિન કુર્મી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP અજિત પવાર જૂથના નેતા હતા, તેઓ લાંબા સમયથી મુંબઈમાં રાજકારણમાં સક્રિય હતા. સચિન કુર્મીની હત્યાથી રાજકીય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular