Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainment'હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવતો છું'

‘હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવતો છું’

મુંબઈ: શ્રેયસ તલપડેને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે અભિનેતાનું નિધન થઈ ગયું છે. આ અફવાઓએ બધાને ચોંકાવી દીધા. અભિનેતાના કેટલાક ચાહકોએ આ અફવાઓને સાચી માની અને એકદમ ભાવુક થઈ ગયા હતાં. આ અફવાઓ જોઈને શ્રેયસ પોતે પણ ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા હતાં. ગત સોમવારે બપોરે એવી અફવા ફેલાઈ હતી કે શ્રેયસ તલપડે હવે આ દુનિયામાં નથી, જેના પર અભિનેતાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને લોકોને આવી હાનિકારક અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.

શ્રેયસ તલપડેની નેટીઝન્સને અપીલ

શ્રેયસ તલપડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે તે ઠીક છે, ખુશ છે અને સ્વસ્થ છે. તેમણે તેમના મૃત્યુની અફવાઓ પર પોતાનો ગુસ્સો અને ઉદાસી પણ વ્યક્ત કરી હતી અને કેવી રીતે આ અફવાઓ ક્યારેક ખૂબ જ પરેશાન કરે છે અને વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. તેણે કહ્યું કે કેટલીકવાર તે મજાક તરીકે શરૂ થાય છે, પરંતુ તે વ્યક્તિના પરિવાર માટે ચિંતા અને તણાવનું કારણ બની જાય છે જેના વિશે આ અફવાઓ ફેલાવવામાં આવે છે.

શ્રેયસ તલપડે મૃત્યુની અફવાથી ગુસ્સે

શ્રેયસ તલપડેએ પોતાની પોસ્ટમાં લખ્યું,’પ્રિય સૌ, હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જીવંત, ખુશ અને સ્વસ્થ છું. મારા નિધનનો દાવો કરતી એક વાયરલ પોસ્ટ મને મળી છે. મને લાગે છે મજાક અલગ જગ્યાએ પણ જ્યારે તેનો દુરુપયોગ થાય છે, ત્યારે તે વાસ્તવિક નુકસાન પહોંચાડી શકે છે. મજાક તરીકે જે શરૂ થયું હશે તે હવે બિનજરૂરી ચિંતા પેદા કરી રહ્યું છે અને મારી, ખાસ કરીને મારા પરિવારની કાળજી રાખનારા લોકોની લાગણીઓ સાથે રમી રહ્યું છે.

મૃત્યુની અફવાથી દીકરી પરેશાન થઈ ગઈ

આ પછી શ્રેયસ તલપડેએ પોતાની દીકરી પર પણ આ અફવાઓની અસર વિશે જણાવ્યું. પોતાની પોસ્ટમાં તેણે આગળ લખ્યું,’મારી નાની દીકરી, જે દરરોજ શાળાએ જાય છે, તે પહેલાથી જ મારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને સતત પ્રશ્નો પૂછે છે અને હું ઠીક છું તેની ખાતરી માંગે છે. આ ખોટા સમાચાર તેના ડરને વધારે છે, તેને તેના સાથીદારો અને શિક્ષકો તરફથી વધુ પ્રશ્નોનો સામનો કરવાની ફરજ પાડે છે, એવી લાગણીઓ ઉશ્કેરે છે કે જેને આપણે કુટુંબ તરીકે મેનેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

પરિવાર પર તેની નકારાત્મક અસર પડે છે

‘હું તમામ લોકોને અપીલ કરું છું કે જેઓ આ કન્ટેન્ટનો પ્રચાર કરી રહ્યા છે તેઓ તેની અસરને સમજે અને તેને બંધ કરે. ઘણા લોકોએ મારી સુખાકારી માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી છે અને તે નિરાશાજનક છે કે રમૂજનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે જે લાગણીઓને ઠેસ પહોંચાડે છે, મારા પ્રિયજનોને અસ્વસ્થ કરી શકે છે અને આપણા જીવનમાં ખલેલ પહોંચાડે છે. જ્યારે તમે આવી અફવાઓ ફેલાવો છો, ત્યારે તે માત્ર તે વ્યક્તિને જ અસર કરતું નથી કે જેના વિશે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ તેના પરિવારને, ખાસ કરીને નાના બાળકોને પણ તકલીફ થાય છે, જેઓ તેને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી અને ભાવનાત્મક રીતે આઘાત અનુભવે છે.

શ્રેયસ તલપડેએ આગળ શું કહ્યું?

આ સાથે જ શ્રેયસે આ સમાચાર પછી તેની તબિયત વિશે પૂછનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. શ્રેયસે આગળ લખ્યું- ‘આ મુશ્કેલ સમયમાં જેમણે મારી સાથે વાત કરી તે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમારી ચિંતા અને પ્રેમ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારી પાસે ટ્રોલ્સ માટે એક સરળ વિનંતી છે – કૃપા કરીને રોકો. બીજાના ભોગે મજાક ન કરો અને બીજા કોઈની સાથે પણ એવું ન કરો. હું ઈચ્છતો નથી કે તમારી સાથે આવું કંઈ થાય, તેથી કૃપા કરીને સંવેદનશીલ બનો. અન્યની લાગણીઓના ભોગે ક્યારેય લાઈક્સ પાછળ ના ભાગવું જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular