Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalસ્વામી પ્રસાદ મૌર્યએ તેમની નવી રાજકીય પાર્ટી લોન્ચ કરી

સ્વામી પ્રસાદ મૌર્યએ તેમની નવી રાજકીય પાર્ટી લોન્ચ કરી

સ્વામી પ્રસાદ મૌર્યએ ગુરુવારે તેમની નવી રાજકીય પાર્ટી ‘રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી’ની શરૂઆત કરી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન પાર્ટીની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થકોએ સાથે મળીને દલિતો અને પછાત લોકો માટે અવાજ ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટી પર ભેદભાવનો આરોપ લગાવતા પાર્ટીના સભ્યપદ અને MLC પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના આ પગલાને લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોના મતે સ્વામીના આ પગલાથી સમાજવાદી પાર્ટીને રાજકીય રીતે સૌથી મોટું નુકસાન થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular