બાંગ્લાદેશ: દેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને એક આશ્ચર્યજનક રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન દેશમાંથી દર વર્ષે સરેરાશ 16 અબજ ડૉલરની ચોરી થતી હતી.વચગાળાની સરકારના વડા પ્રધાન મુહમ્મદ યુનુસે અહેવાલ રજૂ કરનારી સમિતિની રચના કરી હતી. અહેવાલ સામે આવ્યા બાદ મુહમ્મદ યુનુસે એક નિવેદનમાં કહ્યું, ‘શેખ હસીનાએ અર્થતંત્રને કેવી રીતે લૂંટ્યું તે જાણીને અમારું લોહી ઉકળે છે. દુઃખની વાત એ છે કે તેઓએ ખુલ્લેઆમ લૂંટ કરી અને આપણામાંથી મોટાભાગના લોકો તેનો સામનો કરવાની હિંમત કરી શક્યા નથી. આ રિપોર્ટ દર્શાવે છે કે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ શું છે.’
શેખ હસીનાએ 15 વર્ષમાં, દર વર્ષે 16 બિલિયન ડોલરની ચોરી કરી?
કમિટીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, દેશમાં આર્થિક સમસ્યા અમે વિચાર્યું હતું તેના કરતાં ઘણી મોટી છે. કમિટીએ શેખ હસીનાના શાસન દરમિયાનના ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના પુરાવા રજૂ કર્યા છે. કમિટીએ આ કૌભાંડમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવી કાયદાકીય કાર્યવાહી શરુ કરવાની ભલામણ કરી છે.
RELATED ARTICLES