Thursday, May 15, 2025
Google search engine
HomeNewsMumbaiબાબા સિદ્દીકી હત્યા મામલે નવો ખુલાસો, શું છે દાઉદ કનેક્શન?

બાબા સિદ્દીકી હત્યા મામલે નવો ખુલાસો, શું છે દાઉદ કનેક્શન?

મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યાનો કેસ હાલ ખુબ ચર્ચામાં છે. એવામાં ઈન્ડિયા ટીવી ડૉટ કૉમ અનુસાર બાબા સિદ્દીકી હત્યા કેસ સાથે જોડાયેલી સૌથી સચોટ અને નક્કર માહિતી મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રો અને મુંબઈ પોલીસની પ્રારંભિક તપાસમાં મોટી વાત સામે આવી છે. સ્પેશિયલ સેલે મુંબઈ પોલીસ સાથે માહિતી શેર કરી છે. બાબા સિદ્દીકીની હત્યાનો એક જ હેતુ હતો અને તે હતો સલમાન ખાન અને સમગ્ર મુંબઈ અને માયાનગરીમાં આતંક મચાવવો. આ સાથે તેનો ઉદ્દેશ્ય અંડરવર્લ્ડ અને દાઉદ ઈબ્રાહિમને સંદેશ આપવાનો પણ હતો. હત્યાનું દાઉદ કનેક્શન પણ સામે આવ્યું છે અને દાઉદ કનેક્શનની તપાસ ચાલી રહી છે.

બાબા સિદ્દીકી (તસવીર: એક્સ)

ગોળીબાર કરનારાઓ 28 દિવસમાં 5 વખત બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસમાં રેકી કરવા ગયા હતા. શૂટર્સ કલાકો સુધી બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસની બહાર રહેતા હતા અને તેની દરેક હિલચાલ પર નજર રાખતા હતા. ત્યારબાદ ગોળી મારવા માટે દશેરાનો દિવસ પસંદ કરવામાં આવ્યો. ઘટના સમયે ઝીશાન અખ્તર મુંબઈની બહાર હતો. ઝીશાન મુંબઈ બહારથી સમગ્ર ઓપરેશનનું સંકલન કરી રહ્યો હતો. શુભમનો ભાઈ પ્રવીણ શૂટરોને ડ્રોપ કરવા પૂણેથી મુંબઈ આવ્યો હતો. શુભમે શૂટરોને પૈસા આપ્યા હતા.

2 શૂટરો પાસેથી 3 મોબાઈલ ફોન મળી આવ્યા

બાબા સિદ્દીકીને મારવા માટેના હથિયાર પંજાબથી આવ્યા હતા. ઝડપાયેલી 9MM પિસ્તોલ વિદેશી છે, એવી શંકા છે કે આ કન્સાઇનમેન્ટ પાકિસ્તાન અથવા નેપાળથી પહોંચી હોય. સ્થળ પરથી ઝડપાયેલા બે શૂટર્સ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેમાંથી ઘણાન ડાયલ નબંર સેવ નથી. નંબરોની તપાસ ચાલુ છે. શિવને સિગ્નલ ટેલિગ્રામ અને સ્નેપચેટ પર લોરેન્સ ગેંગ તરફથી ઓર્ડર મળી રહ્યો હતો. શિવ તે માહિતી અન્ય શૂટર્સ સાથે શેર કરી રહ્યો હતો.

હત્યા બાદ શિવને ઓમકારેશ્વર જવું પડ્યું હતું

શૂટર્સને પ્લાનિંગ સમયે જણાવવામાં આવ્યું હતું કે ટાર્ગેટ કોણ છે અને તેમને શા માટે મારવા પડશે. હત્યા બાદ શિવને ઉજ્જૈન નજીક ઓમકારેશ્વર જવાનું થયું, જ્યાં તેને લોરેન્સ ગેંગના એક સાગરિતને મળવાનું થયું. ઝિશાન અખ્તર ગુરમેલને પંજાબની પટિયાલા જેલમાં મળ્યો હતો. ઝીશાને જ ગુરમેલને લોરેન્સ ગેંગમાં સામેલ કરાવ્યો હતો. પોલીસને આશ્ચર્ય છે કે દશેરાનો દિવસ પસંદ કરવામાં આવ્યો જ્યારે કે આ દિવસે મુંબઈના ખૂણે-ખૂણે પોલીસ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થા હોય છે.

બાબા સિદ્દીકીની સુરક્ષા માટે બે ગાર્ડ હતા

બાબા સિદ્દીકીની સુરક્ષામાં બે સુરક્ષાકર્મીઓ છે. ઘટના પહેલા જ સુરક્ષાકર્મીઓની શિફ્ટ બદલાઈ રહી હતી. ફાયરિંગ સમયે બાબા સાથે તેમનો એક સુરક્ષાકર્મી હાજર હતો પરંતુ તેણે જવાબી કાર્યવાહી કેમ ન કરી તે તપાસનો વિષય છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રારે કહ્યું છે કે તેઓ દાઉદને તક મળતા જ મારી નાખશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular