Monday, May 19, 2025
Google search engine
HomeNewsAsia Cup : નેપાળે ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો

Asia Cup : નેપાળે ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો

નેપાળે પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયા સામે 230 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી ઓપનર આસિફ શેખે 58 અને આઠમા નંબરના બેટ્સમેન સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. જ્યારે કુશલ ભુર્તેલે 38, ગુલશન ઝાએ 23 અને દીપેન્દ્ર સિંહ એરીએ 29 રન બનાવ્યા હતા.

 

એશિયા કપ 2023ની પાંચમી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. ગ્રુપ Aની આ છેલ્લી મેચ છે. બંને ટીમો માટે સુપર-4માં જગ્યા બનાવવા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. આ મેચ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. નેપાળને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. નેપાળ સામેની મેચ વરસાદમાં ધોવાઈ જાય તો પણ ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચી જશે. બીજી તરફ પાકિસ્તાન ગ્રૂપ-Aમાંથી 3 પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી ગયું છે.

ટીમ ઈન્ડિયાને 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો

ભારત સામે પ્રથમ વખત રમી રહેલી નેપાળની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. નેપાળે ભારતને 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે. નેપાળ તરફથી આસિફ શેખે 58 રન અને સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત તરફથી મોહમ્મદ સિરાજ-રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે પણ એક-એક વિકેટ લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular