Wednesday, June 4, 2025
Google search engine
HomeNewsEntertainmentઆરતી સિંહે કર્યા લગ્ન, કોણ છે ગોવિંદાનો જમાઈ બનનાર દીપક ચૌહાણ?

આરતી સિંહે કર્યા લગ્ન, કોણ છે ગોવિંદાનો જમાઈ બનનાર દીપક ચૌહાણ?

મુંબઈ: ગોવિંદાની ભત્રીજી આરતી સિંહ ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. અભિનેત્રી જીવનના નવા તબક્કાની શરૂઆત કરી પ્રભુતામાં પગલા માંડ્યા છે. આતી સિંહે 25મી એપ્રિલે લગ્ન કર્યા છે. તેના લગ્નના ફંક્શન ઘણા દિવસોથી ચાલી રહ્યા હતાં.અભિનેત્રીના લગ્નમાં તેનો આખો પરિવાર હાજર રહ્યો હતો. પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ તેનો આખો પરિવાર જોવા મળ્યો હતો, જો કોઈ ન દેખાયું તો તે તેના મામા ગોવિંદા અને મામી સુનીતા હતા,પરંતુ આખરે મામા ગોવિંદા પણ અભિનેત્રીના લગ્નને નજરઅંદાજ કરી શક્યા નહીં. લગ્નમાં તેણે પોતાની ખાસ હાજરી આપી હતી. બધી જુની નારાજગી ભૂલીને તે પોતાની ભત્રીજીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતાં.

એક તરફ આરતી સિંહના પતિ દીપક ચૌહાણ લગ્નની જાન લઈને પહોંચ્યા તો બીજી તરફ મામા ગોવિંદાએ પણ લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. તેણે નેવી બ્લુ વેલ્વેટ કોટ પહેરીને લગ્નમાં હાજરી આપી હતી, પરંતુ મામી સુનીતા દેખાયા નહોતા. તે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા ન હતા કે ન તો ગોવિંદાની પુત્રી જોવા મળી હતી. આ જોઈને લોકો કહે છે કે એવું લાગે છે કે મામી સુનીતાએ હજુ પોતાનો ગુસ્ ઠંડો કર્યો નથી. આ જ કારણ હશે કે તે આરતી સિંહના લગ્ન જેવા ખાસ પ્રસંગોમાં પણ સામેલ ન થયા.જોકે, સાચું કારણ તો ગોવિંદા અને તેના પરિવારને જ ખબર હશે.

ગોવિંદાને આરતી સિંહના લગ્નમાં હાજરી આપતા જોઈને એક વ્યક્તિએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું,’સુનીતા મામી ક્યાં છે?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું,’લાગે છે કે પેચઅપ થઈ ગયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું,’હવે એવું લાગે છે કે બધું બરાબર છે, તે કદાચ દેખાતું નથી.’ અહીં નોંધવું રહ્યું કે ગોવિંદા અને સુનીતાનો કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમના પરિવારનો આંતરિક વિખવાદ પણ લોકો સમક્ષ આવી ગયો હતો. ઘણી વખત ગોવિંદા અને સુનીતાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તમામ વિવાદો છતાં કાશ્મીરા શાહે તાજેતરમાં કહ્યું હતું કે જો ગોવિંદા બધું ભૂલીને આરતી સિંહના લગ્નમાં આવશે તો તે તેના પગ ધોશે. આખરે ગોવિંદા દરેક વિવાદને બાજુ પર મૂકીને લગ્નમાં પહોંચી ગયા.જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેઓ હસતા હસતા લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arti singh sharma (@artisingh5)


આરતીનો પતિ કોણ છે?
દીપક ચૌહાણ, જેની સાથે આરતી સિંહે સાત ફેરા લઈ પોતાના પતિ બનાવ્યા છે, તે એક સફળ બિઝનેસમેન છે. તે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે જેના તે ફાઉન્ડર પણ છે. આ સાથે દીપક રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝના બ્રાન્ડ એમ્બેસેડર છે. આરતી સિંહના પતિની ઉંમર 38 વર્ષ છે. આરતી સિંહે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે દીપકને તેની એક આંટી દ્વારા મળી હતી, જે મેચમેકર છે. આરતીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દીપક સાથેના તેના લગ્ન લવ મેરેજ નથી પણ એરેન્જ્ડ મેરેજ છે. લગ્ન પહેલા બંનેનો કોર્ટશિપ પિરિયડ હતો, જેમાં બંને એકબીજાને સમજવા અને જાણવા માંગતા હતા.

આ રીતે સંબંધ નક્કી થયો
આરતીએ એ પણ જણાવ્યું હતું કે દીપક અને તેની વચ્ચે ગયા વર્ષે જુલાઈમાં વાત થઈ હતી.આરતી નવેમ્બરમાં આ સંબંધને લઈને ગંભીર બની ગઈ અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ પછી તેણે પરિવાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો અને તેમની મંજૂરી લીધી. દીપકે આ વર્ષે જાન્યુઆરીમાં આરતી સિંહને પ્રપોઝ કર્યું હતું. હવે બંને એકબીજાના બની ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular