Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalસિક્કિમમાં સેનાના વાહનનો અકસ્માત, 4 જવાનોના મૃત્યુ

સિક્કિમમાં સેનાના વાહનનો અકસ્માત, 4 જવાનોના મૃત્યુ

સિક્કિમમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સેનાનું એક વાહન અકસ્માતનો શિકાર બન્યું છે. જેમાં ચાર જવાનોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સિલ્ક રૂટ પર જુલુક જઈ રહ્યું હતું. આ દરમિયાન વાહન રસ્તાથી 300 ફૂટ નીચે પડી ગયું હતું. અકસ્માતની માહિતી મળતા જ સેનાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ગયા વર્ષે પણ લદ્દાખમાં આવો જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. ઓગસ્ટમાં ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત લેહ નજીક ક્યારી ગામમાં થયો હતો. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 9 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં એક JCO (જુનિયર કમિશન્ડ ઓફિસર) પણ હતા.

સેનાના કાફલામાં ત્રણ વાહનો હતા

સેનાના કાફલામાં ત્રણ વાહનો સામેલ હતા. જે પૈકી એક વાહન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ કાફલામાં 3 આર્મી ઓફિસર, 2 જેસીઓ અને 34 સૈનિકો હતા. 3 વાહનોના કાફલામાં 1 જીપ્સી, 1 ટ્રક અને 1 એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, કિલેહ પાસે દુર્ઘટનામાં સેનાના જવાનોના મોતથી તેઓ દુખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular