Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentઅનુરાગ ઠાકુર ચિરંજીવી અને નાગાર્જુનને મળ્યા, સિનેમા વિશે કરી ચર્ચા

અનુરાગ ઠાકુર ચિરંજીવી અને નાગાર્જુનને મળ્યા, સિનેમા વિશે કરી ચર્ચા

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દક્ષિણ ઉદ્યોગના પ્રખ્યાત કલાકારો ચિરંજીવી અને અક્કીનેની નાગાર્જુન સાથે મુલાકાત કરી. આ દરમિયાન ત્રણેય વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે ઊંડી ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાત દરમિયાન ચિરંજીવીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે અનુરાગ ઠાકુર રવિવારે હૈદરાબાદ સ્થિત તેમના ઘરે ચિરંજીવીને મળ્યા હતા.

ભગવાન ગણેશની મૂર્તિની ભેટ

અભિનેતા ચિરંજીવીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં જોઈ શકાય છે કે મિટિંગ દરમિયાન ચિરંજીવી અને નાગર્જને અનુરાગ ઠાકુરને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ સિવાય બીજી તસવીરમાં ચિરંજીવી કેન્દ્રીય મંત્રીને ભગવાન ગણેશની પ્રતિમા રજૂ કરતા જોવા મળે છે. ચિરંજીવીએ પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું, ‘તમારી હૈદરાબાદની મુલાકાત દરમિયાન ગઈકાલે મારા ઘરની મુલાકાત લેવા માટે સમય કાઢવા બદલ મારા હૃદયના તળિયેથી આભાર અનુરાગ ઠાકુર. આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના વિસ્તરણ વિશે ખૂબ જ સારી વાતચીત થઈ.

અલ્લુ અરવિંદ પણ હાજર રહ્યા હતા

જણાવી દઈએ કે આ મીટિંગ દરમિયાન જાણીતા પ્રોડ્યુસર અલ્લુ અરવિંદ પણ હાજર હતા. નોંધપાત્ર રીતે, ગયા વર્ષે નવેમ્બરમાં, ચિરંજીવીને ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)માં ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનુરાગ ઠાકુરે તેના ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘ચિરંજીવી તેલુગુ સિનેમામાં ખૂબ જ લોકપ્રિય છે અને તેણે હૃદય સ્પર્શી પર્ફોર્મન્સ આપ્યું છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular