Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત: સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય

ગુજરાત: સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય

CM ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી માટે વધુ એક હિતલક્ષી નિર્ણય છે. જેમાં સરકારી કર્મચારીઓ માટે LTC, વતન પ્રવાસ માટે વંદે ભારત ટ્રેનને માન્યતા અપાઇ છે. તેમાં 6000 કિમીની મર્યાદામાં પ્રવાસનો લાભ મળશે. તેમજ સરકારી કર્મીઓેને પ્રવાસનો લાભ દર 4 વર્ષે મળશે. તથા વર્ષ 2020-23ના બ્લોકથી જ લાભ મળશે.

રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ 6૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular