Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratઆજે રથયાત્રા રુટના કારણે આ રસ્તા બંધ રહેશે

આજે રથયાત્રા રુટના કારણે આ રસ્તા બંધ રહેશે

આજે અમદાવાદમાં 147મી રથયાત્રાને લઇ શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે સમગ્ર રથયાત્રાનો રૂટમેપ જાહેર કર્યો છે. રથયાત્રા ક્યાંથી શરૂ થઇ કયા કયા વિસ્તારમાં થઇને પરત ફરશે તેનો વીડિયો પોલીસે જાહેર કર્યો છે.

 

અમદાવાદ ટ્રાફિક પોલીસે રથયાત્રાના રૂટ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુક્યો છે. આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક પર સંપુર્ણ પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહી, રૂટ પર આવતા અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેવામાં વૈકલ્પિક રૂટ પર શહેરીજનો આવનજાવન કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે રથયાત્રા રૂટની માહિતી જાહેર કરી.

 

આ સાથે રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેશન જવા માગતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. રેલવે મુસાફરો માટે દરિયાપુર અને સારંગપુરથી ખાસ મફત બસ સેવા આપવામાં આવશે. રેલવેની ટિકિટ બતાવવા પર પોલીસવાનમાં પણ મુસાફરોને રેલવે સ્ટેશન પહોંચાડાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular