Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsEntertainmentઅલ્લુ અર્જુનના ઘરે તોડફોડ, બાળકોને છોડવું પડ્યું ઘર

અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ, બાળકોને છોડવું પડ્યું ઘર

હૈદરાબાદ: અલ્લુ અર્જુનના બાળકો અયાન અને અરહાને હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં તેમના નિવાસસ્થાન પર હુમલાના કલાકો બાદ સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. 22 ડિસેમ્બર, રવિવારના રોજ ઓસ્માનિયા યુનિવર્સિટીના આઠ સભ્યો દ્વારા તેમના ઘરની તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુનનું પૂતળું બાળ્યું, છોડના વાસણો તોડ્યા અને વિરોધ કર્યો. જે બાદ પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આઠ લોકોની ધરપકડ કરી હતી.

હુમલા સમયે અલ્લુ અર્જુન ઘરે ન હતો. હુમલા બાદ અભિનેતાના બાળકો અલ્લુ અરહા અને અલ્લુ અયાન ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. પોતાના ઘરની બહાર મીડિયા સાથે વાત કરતા અલ્લુ અરવિંદે કહ્યું, “આજે અમારા ઘરે જે બન્યું તે બધાએ જોયું, પરંતુ હવે આપણે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાનો સમય છે. હું પ્રતિક્રિયા આપવાનો આ યોગ્ય સમય નથી માનતો. પોલીસે તોડફોડ કરનારની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અમારા ઘરની નજીક પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ આવી ઘટનાઓને પ્રોત્સાહન ન આપે.આ સમય સંયમ રાખવાનો છે. કાનુન પોતાનું કામ કરશે.”

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આ ઘટનાની નિંદા કરી હતી અને પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “હું ફિલ્મી હસ્તીઓના ઘરો પર થયેલા હુમલાની નિંદા કરું છું. હું રાજ્યના ડીજીપી અને શહેર પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થાને લઈને કડક પગલાં લેવાનો આદેશ આપું છું. આ બાબતમાં કોઈપણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં.” વરિષ્ઠ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે સંધ્યા થિયેટરની ઘટનાથી અસંતુષ્ટ પોલીસકર્મીઓ આ અંગે પ્રતિક્રિયા ન આપે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular