Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalરામેશ્વરમ કાફે બ્લાસ્ટમાં અલ-હિંદ કનેક્શન સામે આવ્યું

રામેશ્વરમ કાફે બ્લાસ્ટમાં અલ-હિંદ કનેક્શન સામે આવ્યું

બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસનું કનેક્શન ISISના અલ-હિંદ મોડ્યુલ સાથે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ ISISના અલ હિંદ મોડ્યુલ સાથે સંકળાયેલા હતા. બંને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં હતા. અબ્દુલ માથિન, મુસાવવીરને વિદેશથી સૂચનાઓ મળતી હતી. ISISનું અલ હિંદ મોડ્યુલ દેશ માટે મોટો ખતરો છે. અલ હિંદ મોડ્યુલના સ્લીપર સેલ ઘણા રાજ્યોમાં ફેલાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દરેક ઓપરેશન માટે તેમના મોડ્યુલના અલગ અલગ નામ રાખતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ માથિન તાહા ISISના અલ-હિંદ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો, જેણે 2019માં તમિલનાડુમાં એક અગ્રણી હિન્દુ નેતાની હત્યા કરી હતી. વર્ષ 2020માં NIAએ ISIS સાથે સંકળાયેલા 12 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાં ISISના સંસ્થાપક મહેબૂબ પાશા અને ખ્વાજા મોઇનુદ્દીનનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આ 12 આતંકવાદીઓમાં સલીમ અને ઝૈદ બંને અબ્દુલ મતીન તાહાના નજીકના હતા.

બેંગલુરુમાં અલ-હિંદ મોડ્યુલનો પર્દાફાશ

તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે કર્ણાટક પોલીસે જાન્યુઆરી 2020 માં બેંગલુરુમાં અલ-હિંદના મોડ્યુલનો પર્દાફાશ કર્યો ત્યારે મોહમ્મદ શારિક અને અરાફત અલી સુરક્ષા એજન્સીઓના ધ્યાન પર આવ્યા હતા. અબ્દુલ મતીન તાહા આ મોડ્યુલનો મુખ્ય નેતા છે અને તેનો પિતરાઈ ભાઈ પણ આ મોડ્યુલમાં સામેલ છે જ્યારે મુસ્વાર શાજીબ હુસૈન તેનો દૂરનો સંબંધી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular