Saturday, May 24, 2025
Google search engine
HomeNewsEntertainmentઅક્ષય કુમારને થયો કોરોના, અનંત અંબાણીના લગ્નમાં નહીં થાય સામેલ

અક્ષય કુમારને થયો કોરોના, અનંત અંબાણીના લગ્નમાં નહીં થાય સામેલ

મુંબઈ: અક્ષય કુમારને લઈ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે.અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવને કારણે તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. અભિનેતાના ચાહકો માટે ખુશીની વાત એ છે કે આજે તેમની ફિલ્મ ‘સરફિરા’ સિનેમામાં રિલીઝ થઈ છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ- છેલ્લા બે દિવસથી અક્ષય કુમારની તબિયત સારી ન હતી. તે સતત સરફિરાના પ્રમોશનમાં વ્યસ્ત હતા. જ્યારે તેની તબિયત સારી ન હતી ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો તો તે કોરોના પોઝિટિવ આવ્યા. કોવિડના સંક્રમણ બાદ તેમણે પોતાને આઈસોલેટેડ કરી દીધા છે. તે ડોકટરોની સલાહ પર ધ્યાન આપી રહ્યો છે અને સાવચેતી રાખી રહ્યો છે. અક્ષયના સમાચારથી ચાહકો પરેશાન છે. અક્ષય 12મી જુલાઈએ અંબાણી પરિવારના સેલિબ્રેશન મિસ કરશે.

કોરોના પોઝિટિવ બાદ તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપશે નહીં. અગાઉ, અક્ષયે અનંત-રાધિકાના લગ્ન પહેલાના સમારોહમાં હાજરી આપી હતી.પ્રિ-વેડિંગમાં તેણે સવારે ત્રણ વાગ્યા સુધી ડાન્સ પણ કર્યો હતો. અક્ષયના આગમન સાથે અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન વધુ ક્રેઝી બની ગયું હતું. હવે દરેક તેને અનંત-રાધિકાના લગ્નમાં મિસ કરશે.

મોટી વાત એ છે કે આજે અક્ષયની ફિલ્મ સરફિરા પણ રિલીઝ થઈ છે. સરફિરા એક બાયોપિક છે જેમાં જીઆર ગોપીનાથના જીવનની ઘટનાઓ દર્શાવવામાં આવી છે.ફિલ્મને પહેલા દિવસે દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અક્ષય ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત રાધિકા મદાન પણ લીડ રોલમાં છે.સરફિરામાં સીમા બિસ્વાસ, પરેશ રાવલ અને જય ઉપાધ્યાયે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular